Wed Apr 22 2026

Logo

દેશમાં ઔધોગિક અકસ્માતમાં રોજ ત્રણ કામદારોના મોત, 10 ટકા ફેક્ટરીમાં જ સેફટી પોલિસી

1 hour ago
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: દેશમાં છેલ્લા 15 દિવસમાં બે ફેક્ટરીઓમાં થયેલા અકસ્માતમાં 49  મજૂરોના મોત થયા છે. જેના લીધે ફેક્ટરીઓની હાલત અને મજૂર સુરક્ષાના મુદ્દા પર અનેક સવાલો ઉભા થયા છે. તેમજ ડિરેક્ટર જનરલ ઓફ ફેક્ટરી એડવાન્સ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટના આંકડાઓ મુજબ દેશના દરરોજ ત્રણ મજૂરોના અકસ્માતમાં મોત થાય છે. તેમજ દેશની 10  ટકા ફેક્ટરીમાં જ સેફટી પોલિસી અમલી છે. જ્યારે કામદારોની સુરક્ષા માટે જવાબદાર એવા સેફટી ઓફિસર માત્ર બે ટકા ફેક્ટરીમાં જ છે. 

કુલ 3,34,000 ફેક્ટરીઓ નોંધાયેલી

જોકે, શ્રમ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્થા ડિરેક્ટર જનરલ ઓફ ફેક્ટરી એડવાન્સ એન્ડ લેબર ઇન્સ્ટિટ્યૂટ પાસે   2023 સુધીનો ડેટા ઉપલબ્ધ છે. આ ડેટા અનુસાર વર્ષ 2023 સુધીમાં કુલ 3,34,000 ફેક્ટરીઓ નોંધાયેલી હતી, જેમાં 19.1 મિલિયનથી વધુ કામદારો રોજગારી આપતા હતા.

દર વર્ષે સરેરાશ 1,100 કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

FASLI રિપોર્ટ દર્શાવે છે કે 2023 દરમિયાન ફેક્ટરી સંબંધિત અકસ્માતોમાં 1,090 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા. આ આંકડાના આધારે, દરરોજ સરેરાશ ત્રણ કામદારો મૃત્યુ પામ્યા. આ મૃત્યુ ઉપરાંત, ફરજ પરના વિવિધ અકસ્માતોનો ભોગ બન્યા પછી 2,949 કામદારો ઘાયલ થયા હતા.તેમજ વર્ષ 2014 થી 2023 દરમિયાન  કુલ 11,108 ફેક્ટરી કામદારો મૃત્યુ પામ્યા છે. આ આંકડા દર્શાવે છે કે  દર વર્ષે સરેરાશ 1,100 કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

મિકેનકલી મશીનરીને કારણે 1231 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા

જેમાં મિકેનકલી મશીનરીને કારણે 1231 કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે મશીન સલામતી અને તાલીમનો અભાવ દર્શાવે છે. આગમાં 956 કામદારોના મોત થયા, જ્યારે વિસ્ફોટોમાં 924  લોકો માર્યા ગયા, અને વિદ્યુત અકસ્માતોમાં 885  લોકો માર્યા ગયા. આ દર્શાવે છે કે ફેક્ટરીઓમાં ફાયર સેફટી  અને ઈલેકટ્રિક સેફટી હજુ પણ મહત્વપૂર્ણ ચિંતાઓ છે.

ફક્ત 6592 માં સલામતી અધિકારીઓ

આ જ અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે મોટાભાગની ફેક્ટરીઓમાં કામદારો દયનીય પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે. 3,34,000 રજિસ્ટર્ડ ફેક્ટરીઓમાંથી, ફક્ત 6592 માં સલામતી અધિકારીઓ કાર્યરત છે, અને ફક્ત 4222 ફેક્ટરીઓમાં તબીબી અધિકારીઓ છે. વધુમાં, ફક્ત 34,450  ફેક્ટરીઓમાં કોઈપણ પ્રકારની સલામતી નીતિ છે. વધુમાં, ફક્ત 2272  ફેક્ટરીઓમાં સ્થળ પર કટોકટી યોજના છે. આનો અર્થ એ થાય કે જો ફેક્ટરીમાં કોઈ અકસ્માત થાય, તો કામદારો માટે જગ્યા ખાલી કરવી અત્યંત મુશ્કેલ બનશે.