Sun Apr 19 2026

Logo

મહિલા ક્વોટા બિલ લોકશાહી અને બંધારણનો પરાજય સુનિશ્ર્ચિત કરશે: આદિત્ય ઠાકરે

21 hours ago
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે મહિલા ક્વોટા બિલ પસાર થવાથી ‘લોકશાહીનો સંપૂર્ણ પરાજય’ થશે, અને આરોપ લગાવ્યો હતો કે સીમાંકન કવાયત સાથે જોડાયેલો આ કાયદો રાજ્યોનો અવાજ ઘટાડવા માટે રચાયેલ રાજકીય સાધન છે.

ઠાકરેએ એક્સ પર એક પોસ્ટમાં એવો દાવો કર્યો હતો કે આ બિલ શાસકના રાજકીય માધ્યમો માટે બંધારણમાં સુધારો કરશે જેથી બેઠકો વધારી શકાય, ઘણા રાજ્યોનો અવાજ ઓછો કરી શકાય અને અન્યાયી જીત સુનિશ્ર્ચિત કરવા માટે મતવિસ્તારોના ગ્રિમેન્ડરિંગને સક્ષમ બનાવી શકાય.

‘ભારતમાં લોકશાહી અને બંધારણનો સંપૂર્ણ પરાજય સુનિશ્ર્ચિત કરવા માટે જે સુધારો કરવામાં આવ્યો હતો તેને વિપક્ષી સાંસદોની એકતા દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે,’ એમ તેમણે લખ્યું હતું. 

ભૂતપૂર્વ પ્રધાને જણાવ્યું હતું કે આ કાયદાને ‘અયોગ્ય વિજય હાંસલ કરવા માટે સીમાંકન બિલ’ કહેવાતું હોવું જોઈએ અને ઉમેર્યું હતું કે વર્તમાન બેઠકોની સંખ્યામાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાની ખરેખર જરૂર હતી.

‘હવે, જો સરકારનો વાસ્તવિક હેતુ હોય તો, 2029ની ચૂંટણીઓ માટે લોકસભાની 543 બેઠકો અને સમગ્ર ભારતમાં તમામ ચૂંટણીઓમાં તેનો અમલ થાય તે સુનિશ્ર્ચિત કરવાની જવાબદારી સરકારની છે,’ એમ તેમણે લખ્યું હતું. 

2029માં વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવા અને લોકસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટેનો બંધારણ સુધારો બિલ શુક્રવારે નીચલા ગૃહમાં નિષ્ફળ ગયો હતો. 

298 સભ્યોએ બિલના સમર્થનમાં મતદાન કર્યું, જ્યારે 230 સાંસદોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું. મતદાન કરનારા 528 સભ્યોમાંથી, બિલને બે તૃતીયાંશ બહુમતી માટે 352 મતની જરૂર હતી.

બંધારણ સુધારા બિલ મુજબ, 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કવાયતને અનુસરીને, 2029ની સંસદીય ચૂંટણીઓ પહેલાં મહિલા અનામત કાયદાને ‘કાર્યકારી’ બનાવવા માટે લોકસભાની બેઠકો વર્તમાન 543થી વધારીને મહત્તમ 850 કરવાની હતી.