Mon May 25 2026

Logo

નિખાર: સંવેદનશીલ વ્યક્તિનાં લેખાં-જોખાં સ્ત્રી હોય કે પુરુષ ... સંવેદના જ એનું સાચું સૌંદર્ય

2 weeks ago
Author: Zubaida Valiyani
Article Image

સંવેદનશીલ વ્યક્તિનાં લેખાં-જોખાં સ્ત્રી હોય કે પુરુષ ... સંવેદના જ એનું સાચું સૌંદર્ય

નિખાર - ઝુબૈદા વલિયાણી

કેટલી પણ સંવેદના હોય તો વ્યક્તિ પછી તે સ્ત્રી હોય કે પુરુષ! સંવેદનશીલ કહેવાય?

- લાડકી પૂર્તિની વહાલી વાચક બહેન-દીકરીઓ!

* સંવેદનાનું કોઈ માપ નથી.

* સંવેદનાની તીવ્રતા માપી શકતી નથી.

* માનવીનું બ્લડપ્રેશર માપી શકાય છે.

* સંવેદનાનો સરવાળો કરી આપે એવું કોઈ મશીન હજુ શોધાયું નથી.

* સંવેદના માપવાની કે ગણવાની ચીજ પણ નથી.

* સંવેદના તો અનુભવવાની વસ્તુ છે.

* ‘સિર્ફ અહેસાસ હૈ યે, રૂહ સે મહેસૂસ કરો...!’

* આંખો સુકાઈ જવાનાં કારણો હોઈ શકે.

* આંખો ભીની થવાનાં ઘણી વખત કોઈ કારણો નથી હોતાં.

- કોઈ યાદ - કોઈ સ્મરણ - કોઈ પ્રસંગ - કોઈ ઘટના, કોઈ સંવાદ કે કોઈ સ્પર્શ અચાનક તાજાં થઈ જાય છે.

- આકાશમાં એક વાદળ રચાય છે અને પછી આંખ વરસી પડે છે.

- આંખમાં મેઘધનુષ રચાય એવી યાદો કેટલી હોય છે?

- સંવેદના ક્યારેક એવી છંછેડાઈ જાય છે કે એ ચેન લેવા દેતી નથી. આ લખનારના પતિ આવી સંવેદનાઓનો શિકાર છે!

- સળ પડી ગયેલી પથારી અને ભીનું થઈ ગયેલું આ ઓશીકું સંવેદનાને મેગ્નિફાઈંગ ગ્લાસથી મોટી કરી દે છે.

- સંવેદના ક્યારેક કોમળ પાંખડીઓના સ્પર્શ જેવી બની જાય છે.

- સંવેદના સજીવન થાય ત્યારે ટેરવામાં શીતળતાનો થનગનાટ થાય છે, તો ક્યારેક આપણી વેદના જ ટેરવે ટેરવે હોળી પ્રગટાવે છે.

- આંખોના બદલાતા રંગ ઘણી વખત સંવેદનાની ચાડી ફૂકે છે.

- સંવેદના સુકાય ત્યારે પીળી અને ફિક્કી પડી જતી આંખો વધારે ગહેરી લાગે છે. ઊંડાણમાં કંઈક ખોવાઈ જાય છે અને એટલે જ ઘણી વખત રડવું આવી જાય છે.

- લાલ આંખોની ઝાંયમાં ઘણી વખત સંવેદના તરફડતી હોય છે અને ઘણી વખત સફેદ ચાદર ઓઢીને આંખો સંવેદનાનો માતમ મનાવતી હોય છે.

- દરેક વ્યક્તિ પોતાની સંવેદનાનો માલિક છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ! એ કેવો માનવી છે એ છતું કરતી હોય છે.

* સંવેદના વ્યક્તિ કેવી છે એને છતું કરતી હોય છે.

- લાડકી પૂર્તિની વહાલી વાચક બહેનો, દીકરીઓ અને પુરુષ વાચક બિરાદરો!

- સંવેદના માનવીના દરેક કામમાં અને તમામ વર્તનમાં પ્રગટે છે.

- માનવીના વિચારો એ બીજું- કંઈ જ નથી પણ પોતાનામાં જીવતી સંવેદનાનું પ્રતિબિંબ છે! સંવેદના વરતાઈ આવે છે અને સંવેદના પરખાઈ જાય છે.

- લેખકની સંવેદના અને શબ્દોમાં, એના ટાંકણમાં પ્રગટ થાય છે.

- સંવેદના ક્યારેક ખીલી જાય છે અને ક્યારેક મૂરઝાઈ જાય છે.

* ‘તમારી સંવેદના કેવી છે?’

એક જાણીતા કોલમનિસ્ટ લેખક - પત્રકારને કોઈએ પૂછ્યું.

- તેણે કહ્યું કે, બધા લોકોએ મારી સંવેદનાનો ગેરફાયદો જ ઉઠાવ્યો છે. મારો લાભ જ લીધો છે.

- એ વ્યક્તિએ કહ્યું કે, કેટલી મોટી વાત છે, આટલું થયું છતાં તમે તમારી સંવેદનાને મરવા દીધી નથી.

- સાચું પૂછો તો આપણી સંવેદનાનો ફાયદો કે ગેરફાયદો કોઈ ઉઠાવતું હોતું નથી, પણ આપણે જ આપણી સંવેદનાનો ઉપયોગ કે દુરુપયોગ થવા દેતા હોઈએ છીએ.

- છેવટે સવાલ એજ હોય છે કે આપણે સંવેદનાનો કેવો અને કેટલો ઉપયોગ થવા દઈએ છીએ.

ચિંતન

* સંવેદનશીલ હોવું સારું છે, પણ સંવેદના ત્યાં જ સજીવન થવી જોઈએ જ્યાં તેની અસર હોય.

* ન્યોછાવર થઈ જવામાં ગૌરવ છે, પણ અયોગ્ય વ્યક્તિ પાસે પછી ભલે તે કુટુંબીજન કેમ ના હોય! સમર્પણની ભાવના ઘણી વખત મૂર્ખામીમાં ખપતી હોય છે.

* ઈમોશનલ ફૂલ બનવા કરતાં ઈન્ટેલિજન્ટ ઈડિયટ બનવાનું ઘણી વખત જરૂરી બની જાય છે.

* તમારી સંવેદના સાર્થક કરવા માટે એ જરૂરી છે કે સંવેદના સાથે રમત થવા ન દો.

* તમારી સંવેદના છેતરપિંડી માટે નથી.

- ઘણી વખત

* પ્રેમ, * લાગણી, * સ્નેહ,

* આત્મીયતા અને ઋજુતા પણ સ્વાર્થ અને મતલબનો અંચળો ઓઢીને આપણી સામે આવતી હોય છે એને પારખતા ન આવડે તો સંવેદના જ વેદના બની જાય છે.

- ચંદન માટે ઘસાવવામાં કોઈ વાંધો ન હોય, પણ  પથ્થર સાથે પથ્થર ઘસાય તો તણખા જ ઝરે.

- વ્યક્તિની પછી તે સ્ત્રી હોય કે પુરુષ! સંવેદના જ એનું સાચું સૌંદર્ય હોઈ પ્રસ્તુત લેખનો બીજો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાંચી સંવેદનશીલ વ્યક્તિનાં લેખાં-જોખાં પર રોશની નાખીશું.

મલકાટ:

- ‘પચીસ વર્ષ સુધી તો હું અને મારી પ્રેમિકા ખૂબ મોજમાં રહ્યાં હતાં.’

* ‘પછી શું થયું...?’

- ‘છવ્વીસ વર્ષની વયે અમારાં લગ્ન થઈ ગયાં...!’